Thursday, April 16, 2009

ગુજરાતી નો ઘસારો અને અંગ્રેજીનો ધસારો...
બાળકનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં કરવું કે એ હવે યક્ષ પ્રશ્ન રહ્યો નથી. આ ક


માતૃભાષામાં શિક્ષણ કેટલું જરૂરી અને ઉપયોગી છે, એની ભાષણબાજી સાંભળવામાં હવે ગુજરાતીઓને કંટાળો આવે છે. એના માટે માતૃભાષા પ્રત્યે પ્રેમના અભાવ ઉપરાંત ભાષાપ્રેમનાં ભાષણો-ઉપદેશો આપનારા મહાનુભાવો પણ ઓછા જવાબદાર નથી.
ગુજરાતીનાં મહત્તા-માહત્મ્ય-મહાનતા વિશે ભાવભીની વાતો ઘણી થાય છે, પરંતુ તેના ગઢમાં પડેલાં મસમોટાં ગાબડાં પુરવા માટે શું કરવું જોઇએ, એ બાબતે ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવતો નથી. પરિણામે ભાષાબચાવ ઝુંબેશો ભવિષ્યની વ્યૂહરચના વિશેની ચર્ચાસભાને બદલે ભૂતકાળનાં, ઘણે અંશે આત્મકથાત્મક, સંભારણાં વાગોળવાની નિરર્થક- બહુ તો મનોરંજક- બેઠકો બની રહે છે.
ગુજરાતી માઘ્યમ અને તેનાથી ઘણી વ્યાપક એવી ગુજરાતી ભાષાને ઈંગ્લીશના હુમલાથી સલામત રાખવા માટે શું થઇ શકે? કેટલાક ઉપાયો વિચારતાં પહેલાં ગુજરાતમાં-ભારતમાં ઈંગ્લીશનાં મૂળીયાં વિશે અછડતી જાણકારી મેળવીએ.
ઈંગ્લીશઃ પ્રવેશ અને આક્રમણ
રમૂજમાં ભારતની ‘મધરટન્ગ’ (માતૃભાષા) નહીં, પણ ‘આન્ટી ટન્ગ’ (માસીની ભાષા?) તરીકે ઓળખાતી ઈંગ્લીશની બોલબાલા વિશે એક પ્રચલિત વિધાન છેઃ ‘ઈંગ્લીશ ઇઝ નોટ માય મધર્સ ટન્ગ, બટ ઇટ ઇઝ માય મધરટન્ગ.’ (ઈંગ્લીશ મારી માતાની ભાષા નથી, પણ મારી માતૃભાષા છે.)
ત્રણેક દાયકા પહેલાં એક વિદ્વાને ભારતમાં અંગ્રેજી ભાષાને ગાય સાથે સરખાવી હતી. સરખામણીનો પહેલો મુદ્દોઃ ભારતીયો પરલોક તરી જવા માટે ગાયનું અને આ લોક તરી જવા માટે ઈંગ્લીશનું પૂંછડું પકડે છે. મુદ્દો બીજોઃ બન્ને વિશે અત્યંત આદર હોવા છતાં બન્નેની દશા ભારતમાં ભૂંડી છે.
પહેલો મુદ્દો હજુ એટલો જ સાચો છે, પણ બીજા મુદ્દે મોટો ફેરફાર થયો છે. કેટલાક અભ્યાસીઓ જેને ‘વ્હાઇટ રેવોલ્યુશન’ (‘શ્વેત ક્રાંતિ’?) કહે છે, તે પ્રક્રિયા અંતર્ગત દેશમાં હવે ઈંગ્લીશને કારણે ઘણી સ્થાનિક ભાષાઓની દશા બેઠી છે. બે-ત્રણ દાયકા પહેલાં સુધી ગુજરાત જેવાં રાજ્યોમાં ઈંગ્લીશ શીખવવા માટે ઝુંબેશ ઉપાડવી પડે એવી સ્થિતિ હતી. ગુજરાતમાં પહેલાં ઈંગ્લીશ પાંચમા ધોરણથી શીખવવું કે આઠમા ધોરણથી, એ વિશેના ગરમાગરમ વિવાદો થતા હતા. હવે ગુજરાતી શીખવવાની-બચાવવાની ઝુંબેશ કરવાના દિવસ આવ્યા છે.
ઈંગ્લીશના આક્રમણનું જોર જોતાં એવું લાગે, જાણે ભારતમાં એ ભાષા સદીઓથી મૂળીયાં નાખીને પડી છે. ઐતિહાસિક તથ્યો એ વિશે શું કહે છે?
વિશ્વભાષા તરીકે ઈંગ્લીશ છેક વીસમી સદીમાં અને એ પણ બે વિશ્વયુદ્ધો પછી સ્થપાઇ. બીજા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ આથમી ગયો, પણ બ્રિટનનાં સંસ્થાનો પૂરતું મર્યાદિત રહેલું ઈંગ્લીશનું સામ્રાજ્ય અકબંધ રહ્યું અને વિસ્તર્યું. કેમ કે, વિશ્વયુદ્ધો પછી રાજકીય-આર્થિક સુપરપાવર તરીકે ઉભરેલા અમેરિકાની મુખ્ય ભાષા ઈંગ્લીશ હતી. અમેરિકન ઈંગ્લીશ પહેલાં સમૃદ્ધિની અને પછીનાં વર્ષોમાં જ્ઞાનની ભાષા તરીકે દુનિયાભરમાં ફરી વળ્યું. ૧૯૮૫ના ‘યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રીપોર્ટ’ સામયિકમાં ઈંગ્લીશના આક્રમણ વિશેના એક લેખમાં નોંઘ્યા પ્રમાણે, એ સમયે કમ્પ્યુટરમાં સ્ટોર થયેલી દુનિયાભરની ૮૦ ટકા માહિતી ઈંગ્લીશમાં હતી અને દુનિયાની વસ્તીમાં દર સાત માણસે એક માણસ ઓછેવત્તે અંશે ઈંગ્લીશ જાણતો હતો.
ભારતમાં ઈંગ્લીશ ભાષાના પગપેસારા માટે એકતરફ ‘લીન્ગ્વીસ્ટીક ઇમ્પીરીયાલીઝમ’ (ભાષાકીય સામ્રાજ્યવાદ) જેવો શબ્દપ્રયોગ વપરાય છે, તો સી.રાજગોપાલાચારી સરખા વિદ્વાન નેતાએ ઈંગ્લીશને ‘ગોડેસ સરસ્વતીઝ ગિફ્ટ ટુ ઇન્ડિયા’ (દેવી સરસ્વતી ભારતને ભેટ) તરીકે ઓળખાવી. આ ભાષાનો તેના જન્મસ્થળ ઈંગ્લેન્ડમાં માંડ પાંચેક સદી પહેલાં ‘સાહિત્યિક શક્યતાઓ ધરાવતી ભાષા’ તરીકે સ્વીકાર થયો. છતાં ૧૭મી સદી સુધી ન્યૂટન જેવા વૈજ્ઞાનિક લેટિન ભાષામાં ગ્રંથો લખતા હતા. છેક ૧૯મી સદી સુધી ઈંગ્લેન્ડની સ્કૂલોમાં ઈંગ્લીશ ભણાવવામાં આવતું ન હતું. (સંદર્ભઃ ધ પોલિટિક્સ ઓફ ઇન્ડિયન ઈંગ્લીશ, એન.કૃષ્ણસ્વામી અને અર્ચના એસ. બર્ડે, ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૯૮)
ભારતમાં ઓગણીસમી સદીમાં (૧૮૨૩માં) નીમાયેલી ‘ધ જનરલ કમિટી ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન’ના સભ્યોએ ઈંગ્લીશ ભાષા અને ઈંગ્લીશ મીડિયમના પ્રસારની વિરૂદ્ધમાં અભિપ્રાય આપ્યો હતો. ત્યાર પછીના દોઢેક દાયકામાં ‘ધ બોમ્બે નેટીવ એજ્યુકેશન સોસાયટી’એ મુંબઇ ઇલાકામાં ‘ડિસ્ટ્રીક્ટ ઈંગ્લીશ સ્કૂલ્સ’ (જિલ્લા કક્ષાની ઈંગ્લીશ શાળાઓ) શરૂ કરી. અંગ્રેજી રાજની વહીવટી ભાષા બનેલી ઈંગ્લીશ શીખવાની તમન્ના ‘દેશીઓ’માં જાગવા માંડી. ૧૮૩૫માં મેકોલેએ ભારતમાં ઈંગ્લીશના શિક્ષણ દ્વારા કારકુનો પેદા કરવાના સૂચન સાથે નવી દિશા ચીંધી આપી. (જાપાનની એક યુનિવર્સિટીનો ઘ્યેયમંત્ર હતોઃ ‘કારકુન કરતાં કારીગર સારો’) બીજો મહત્ત્વનો વળાંક ૧૮૫૪માં આવ્યો, જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ચાર્લ્સ વૂડે ‘વૂડ્સ ડિસ્પેચ’ તરીકે ઓળખાતા અહેવાલમાં નવી શિક્ષણનીતિની રૂપરેખા આપી. તેમાં મુખ્ય શહેરોમાં મહાવિદ્યાલયો (યુનિવર્સિટી)નો આરંભ, શિક્ષકો માટે તાલીમસંસ્થાઓની સ્થાપના અને ‘ગ્રાન્ટ-ઇન-એઇડ’ પ્રથા શરૂ કરવાનો નિર્ણય લેવાયો. એ સાથે ભારતના વહીવટી તંત્રમાં પહેલી વાર શિક્ષણવિભાગ અલગ રીતે અસ્તિત્ત્વમાં આવ્યો.
‘વૂડ્સ ડિસ્પેચ’ની દોઢ સદી પછી હવે ગુજરાતી ભાષામાં તથા ગુજરાતી ભાષાના અસરકારક શિક્ષણ માટે કોઇ ‘ડિસ્પેચ’ તૈયાર કરવો પડે એવી સ્થિતિ છે.
સુદૃઢ ગુજરાતી માટે સંભવિત ઉપાયો
ભાષા સાથે જુદા જુદા સ્તરે કામ પાડતા અભ્યાસીઓ સાથેની વાતચીતમાંથી મળેલાં ગુજરાતી ભાષાને મજબૂત કરવાનાં કેટલાંક ઉપયોગી-વ્યવહારૂ સૂચનો અહીં મુક્યાં છેઃ
કાંટાથી કાંટો કાઢવોઃ રતિલાલ બોરીસાગર આ શબ્દપ્રયોગ વાપરીને કહે છે કે અંગ્રેજી ભાષાથી જ અંગ્રેજીના મોહ સામે લડવું. એટલે કે, ગુજરાતી શાળાઓમાં પહેલા ધોરણથી અંગ્રેજી એક વિષય તરીકે દાખલ કરવું અને ઈંગ્લીશ મીડિયમમાં ભણાવાતા અંગ્રેજીની સમકક્ષ ઈંગ્લીશ ગુજરાતી માઘ્યમમાં ભણાવવું. નગેન્દ્રવિજય એટલી હદ સુધી કહે છે કે ગુજરાતી માઘ્યમમાં અંગ્રેજી પર ભાર મુકવા માટે જરૂર લાગે તો અંગ્રેજી વિષયનાં એકને બદલે બે પેપર કરી નાખવાં.
આ સૂચનો પાછળનું હાર્દ એટલું જ કે તેનાથી સંતાનનું ઈંગ્લીશ કાચું કે નબળું રહી જતું હોવાની માતાપિતાની ફરિયાદ દૂર થશે અને સંતાનના દિમાગમાં ભાષા ભેળપુરી થતી અટકશે. ઈંગ્લીશ ભાષા અંગે સરકારની ઉદાર નીતિ જોતાં ગુજરાતી શાળાઓ માટે પહેલા ધોરણથી ઈંગ્લીશ દાખલ કરવાના પગલાંને સરકાર તરફથી કોઇ મુશ્કેલી નડવી જોઇએ નહીં.
એટલું ખરૂં કે આ કામનો બોજ મામૂલી પગાર ધરાવતા વિદ્યાસહાયકો પર નાખી શકાય નહીં. સરકારે એ માટે પૂરા કદના, સારો પગાર ધરાવતા શિક્ષકોની ભરતી કરવી પડે. અત્યારે ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં પણ સારૂં અંગ્રેજી શીખવવાનાં ફાંફાં હોય, ત્યારે સારા અંગ્રેજી શિક્ષકો તૈયાર કરવાનું કામ પ્રાથમિક બની રહે.
માતૃભાષાનું બાકાયદા મહત્ત્વઃ ઈંગ્લીશ મીડિયમની સ્કૂલોમાં બારમા ધોરણ સુધી ગુજરાતી ફરજિયાત હોવું જોઇએ. એટલું જ નહીં, ગુજરાતીને પૂરતું મહત્ત્વ પણ મળવું જોઇએ. આ કામ સરકારી હુકમ અને ખાસ તો, તેના કડક અમલથી દ્વારા શકે. આ પ્રકારના સરકારી હુકમો સામેનો વિરોધ અદાલતોમાં પણ ટકી શકતો નથી.
પ્રજાકીય વ્યવહારમાંથી અંગ્રેજીને વિદાયઃ ગુજરાતી માઘ્યમના વિદ્યાર્થીને સારૂં અંગ્રેજી ભણાવવાની સાથોસાથ, ગુજરાતી પર પ્રભુત્વ ધરાવનાર માટે કારકિર્દીની બહોળી તકો ઉપલબ્ધ બને, એવું વાતાવરણ રોજેરોજના જીવનમાં ગુજરાતીના બહોળા પ્રયોગથી સર્જાવું જોઇએ. આમજનતાની ભાષા ગુજરાતી હોય ત્યારે રોજબરોજના જીવનમાં ધૂસી ગયેલા અને લોકો માટે અન્યાયી થઇ પડતા અંગ્રેજીને દૂર કરવું પડે. ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ કહે છે કે હાઇકોર્ટમાં વકીલો અને ન્યાયમૂર્તિ બધા ગુજરાતી હોય, તો પણ કાર્યવાહી અંગ્રેજીમાં ચાલે છે. ઘણાખરા અસીલોને ખબર જ ન પડે કે પોતાનો વકીલ શું ગબડાવે છે. આવી સ્થિતિ નાબૂદ થવી જોઇએ. ભાષાનો મુદ્દો ફક્ત સાહિત્ય કે ભણેલાગણેલા લોકોને જ નહીં, ‘આમજનતા’ તરીકે ઓળખાતા સૌનાં હિત અને તેમના અધિકારો સાથે સીધો સંકળાયેલો છે.
ગુજરાતી ભાષામાં પાઠ્યપુસ્તકોનું પુનઃલેખનઃ બાળકનું શ્રેષ્ઠ ભણતર તેની માતૃભાષામાં થઇ શકે છે, એ વિજ્ઞાનસિદ્ધ હકીકત છે. પ્ર.ચુ.વૈદ્ય જેવા ગણિતશાસ્ત્રીએ અભ્યાસ દ્વારા તારવ્યું છે કે ‘ગણિત એટલે ફક્ત આંકડા’ એ માન્યતા ખોટી છે. ગણિત શીખવવામાં આંકડા જેટલું જ- તેનાથી બિલકુલ ઓછું નહીં એવું- મહત્ત્વ ભાષાનું છે.
ગુજરાતીમાં શીખવવાની વાત કરીએ ત્યારે બહુ મોટો મુદ્દો અને ચિંતાનો વિષય છે ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ પાઠ્યપુસ્તકો અને સંદર્ભસામગ્રી. અત્યંત દુર્બોધ અથવા ટેકનિકલ ભાષામાં લખાયેલાં ગુજરાતી લખાણો કરતાં ઈંગ્લીશ સમજવાનું ઓછું અઘરૂં પડે છે. એટલે જ, નગેન્દ્રવિજય અને ડો.સુશ્રુત પટેલ જેવા વિજ્ઞાનમાં ઊંડાણપૂર્વકનું છતાં લોકભોગ્ય ભાષામાં લખનારા વિદ્વાનો, સમજાય એવા ગુજરાતીમાં પાઠ્યપુસ્તકો અને બીજાં સંદર્ભપુસ્તકો ઉપલબ્ધ બને તેની ઉપર ભાર મુકે છે. સરકારી પાઠ્યપુસ્તક મંડળ સરળ ગુજરાતીમાં લખી ન શકતા પ્રોફેસરોને થોડો વિરામ આપીને, વિષયનિષ્ણાતો અને સરળ ભાષામાં લખનારા લોકોને ભેગા કરવાની તસ્દી લે તો કંઇક કામ બને.
સરકારી શાળાઓની સજ્જતાઃ અત્યારના ઘણા ‘મોટા માણસો’ સરકારી નિશાળોમાં ભણ્યા છે એની ગાથા જવા દઇએ, તો પણ સરકારી નિશાળોની સંખ્યા અને સુવિધા સમય જતાં વધવાને બદલે ઘટ્યાં છે એ હકીકત છે. બોલકા વર્ગનાં સંતાનો માટે ખાનગી શાળાઓ ઉભી થઇ ગઇ હોવાથી તેમને સરકારી શાળાઓના હાલહવાલની પરવા નથી. પણ આ જ શાળાઓ ગુજરાતી માઘ્યમ અને ભાષાને બચાવવાનાં મહત્ત્વનાં કેન્દ્રો બની શકે એમ છે. એ માટે સરકાર પોતે પ્રયાસ કરે અથવા ભણતર ગરીબો માટે સુલભ રહે એ રીતે બીજાને પ્રયાસ કરવા દે, તો ગુજરાતી વિશેની ઘણીખરી ચિંતા નાબૂદ થઇ જાય.
આ યાદી હજુ લંબાઇ શકે. કેટલાંક સૂચનો અંગે વઘુ ચર્ચાને અવકાશ હોઇ શકે. છતાં, ગુજરાતીને મજબૂત કરવા ઇચ્છતા સૌએ પહેલા પગથિયા તરીકે એક પ્રતિજ્ઞા લેવા જેવી છેઃ ‘હવેથી અમે ગુજરાતી ભાષા વિશેની લાગણીસભર વાતોના દાયરા- અને ડાયરા-માંથી બહાર નીકળીને, નક્કર ઉપાયો વિશેની ચર્ચા અને ક્રમબદ્ધ-સમયબદ્ધ અમલીકરણ પર જ ઘ્યાન કેન્દ્રિત કરીશું.’

Monday, November 24, 2008

“પાઠ્યપુસ્તક સાથે પરીક્ષા” – આચાર્યો, સંચાલકો અને શિક્ષણવિદોના અભિપ્રાયોનો અભ્યાસ..

શિક્ષણ સાથે પરીક્ષા શબ્દનો સંબંધ એટલો બધો અભિન્ન બની ગયો છે કે બન્નેને છૂટા પાડવાના અત્યાર સુધીના પ્રયાસો સંપૂર્ણપણે સફળ થઈ શક્યા નથી. છેવટે એટ્લી હદ સુધી કે એને અનિવાર્ય દૂશણ તરીકે સ્વીકારીને તજ એ પણ હાથ હેઠા મુકી દિધા છે. પરંતુ એક વાત નિર્વિવાદ છે કે પરીક્ષાનો હાઉ ફક્ત વિધાર્થીને નહીં હવે તો શિક્ષણ સાથે સંકળાયેલ સૌ માટે અને વધુ તો વાલીઓ સુધી એ વિસ્તરી ચૂક્યો છે. બધા અંદરથી ભારે અકળામણ અનુભવી રહ્યા છે અને કોઈક સારા વિકલ્પની રાહ જોઈ રહ્યા છે. પરીક્ષામાં થતી મોટા પાયે ચોરી એ પણ ઊંચી ટકાવારી લાવવાની લાલચ નું જ પરિણામ છે.
પરિવર્તન એ સતત ચાલતી પ્રક્રીયા છે. શિક્ષણ જેવી મહત્વની પ્રક્રિયામાં આ સૌથી વધુ લાગુ પડે છે. પરીક્ષાના આ ભૂતને હળવું કરવા હમણાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પાઠ્યપુસ્તક સાથે પરીક્ષાની જાહેરાત કરી એ એક ઐતહાસિક નિર્ણય હતો. ત્યારબાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે તેનો આ નિર્ણય પાછો ઠેલ્યો.
આ દરમ્યાન વ્યક્તિગત ધોરણે આ સંર્દભમાં શિક્ષણ સાથે સંકળાયેલ આચર્યો, સંચાલકો, બી.એડ. તાલિમાર્થીઓ, તેમજ શિક્ષણવિદોના અભિપ્રાય લઈ, સમાજ આ સંર્દભમાં શું ઈચ્છે છે તે જાણવા પ્રયત્ને કર્યો જેના તારણો આ સાથે મુકેલ છે.







“ઓપન-બુક” પરીક્ષા એટલે શું ?
· ઓપન-બુક પરીક્ષા એટલે એવી પરીક્ષા કે જેમાં પરીક્ષા દરમ્યાન પાઠ્ય-પુસ્તક, સંદર્ભ-સાહિત્ય, અથવા વિધાર્થી દ્વારા તૈયાર કરેલી નોંધનો ઉપયોગ અથવા માન્યતા આપેલ સંદર્ભ સાહિત્ય નો ઉપયોગ પરીક્ષા દરમ્યાન કરી શકે.
· સામાન્ય રીતે આ પ્રકારની પરીક્ષા ઉચ્ચ શિક્ષણ , કાયદા, પાર્લામેન્ટ સંદર્ભની પરીક્ષામા ઉપયોગ થાય છે.
· આ પ્રકારની પરીક્ષા મર્યાદિત સમયની અથવા અમર્યાદીત સમયની હોઈ શકે.
· પરીક્ષા દરમ્યાન વિધ્યાર્થીની યાદ શક્તિના માપન ના બદલે, ગ્યાનની સમજ, , સમસ્યા ઉકેલવાની સૂઝ, માહિતીના ઉપયોગ કરવાની આવડતનું માપન તેમજ કેટલાક સંજોગોમાં, જે-તે માહિતીનું સર્જનાત્મક રીતે વિશ્લેષણ કેવું કરી શકે છે તેના માપન માટે થાય છે.

નમૂનો : આ લઘુ સંશોધન માટે વિવિધ જિલ્લાના કુલ ૪૦૮ આચર્યો, સંચાલકો, બી.એડ. તાલિમાર્થીઓ, તેમજ શિક્ષણવિદોના અભિપ્રાય લીધા, હાલ પણ ઈન્ટરનેટ પર આ અંગેની અભિપ્રાયાવલિ મૂકેલ છે, અને લોકો ના અભિપ્રાય આપી શકે છે.

૧. "પાઠ્ય પુસ્તક" સાથેની પરીક્ષા પધ્ધતિથી "ભાર વગરનું ભણતર" ની સંકલ્પના સાચા અર્થમાં ચરિતાર્થ થશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
73
100
47
125
61
406
17.98%
24.63%
11.58%
30.79%
15.02%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે "પાઠ્ય પુસ્તક" સાથેની પરીક્ષા પધ્ધતિથી "ભાર વગરનું ભણતર" ની સંકલ્પના સાચા અર્થમાં ચરિતાર્થ થશે.




૨. આ પરીક્ષા પધ્ધતિ દાખલ કરવાથી શિક્ષણ પરિક્ષા-કેન્દ્રીને બદલે અભ્યાસ-કેન્દ્રી બનશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
73
100
47
125
61
406
17.98
24.63
11.58
30.79
15.02
100

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે – “આ પરીક્ષા પધ્ધતિ દાખલ કરવાથી શિક્ષણ પરિક્ષા-કેન્દ્રીને બદલે અભ્યાસ-કેન્દ્રી બનશે” જે દર્શાવે છે કે આ પધ્ધતિ ની તરફેણ કરે છે.

૩. આ પરીક્ષા પધ્ધતિથી ટ્યુશનપ્રથાની બદી સદંતર નાબુદ થશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
30
107
42
152
75
406
7.39%
26.35%
10.34%
37.44%
18.47%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરીક્ષા પધ્ધતિથી ટ્યુશનપ્રથાની બદી સદંતર નાબુદ થશે.

૪. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં વિધાર્થીઓ ગાઇડ/અપેક્ષીતના બદલે સંદર્ભ સાહિત્યનું વાંચન શરુ કરશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
17
76
35
180
98
406
4.19%
18.72%
8.62%
44.33%
24.14%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં વિધાર્થીઓ ગાઇડ/અપેક્ષીતના બદલે સંદર્ભ સાહિત્યનું વાંચન શરુ કરશે.

૫. જાહેર પરીક્ષામાં પ્રવર્તમાંન ચોરીનું દૂષણ સદંતર નાબુદ થશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
27
103
55
144
77
406
6.65%
25.37%
13.55%
35.47%
18.97%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે જાહેર પરીક્ષામાં પ્રવર્તમાંન ચોરીનું દૂષણ સદંતર નાબુદ થશે

૬. શિક્ષણમાં પ્રવર્તતી "અપવ્યય" અને "સ્થગિતતા" જેવી સમસ્યા દૂર થઇ શકશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
17
93
76
153
67
406
4.19%
22.91%
18.72%
37.68%
16.5%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે જાહેર પરીક્ષામાં પ્રવર્તમાંન ચોરીનું દૂષણ સદંતર નાબુદ થશે.

૭. વિધાર્થીઓનું મૂલ્યાંકન કેવળ માહિતીના બદલે વિધાર્થીની સમજ તેમજ ગ્યાનના ઉપયોગના સંદર્ભ સાથે થશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
21
72
42
180
91
406
5.17
17.73
10.34
44.33
22.41
100

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે વિધાર્થીઓનું મૂલ્યાંકન કેવળ માહિતીના બદલે વિધાર્થીની સમજ તેમજ ગ્યાનના ઉપયોગના સંદર્ભ સાથે થશે.

૮. આ પરિક્ષા પધ્ધતિનો અમલ થતાં શિક્ષણમાં પ્રવ્રુત્તિલક્ષી તેમજ પ્રયોગાત્મક અભિગમ અપનાવી શકાશે.
Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
17
75
93
161
60
406
4.19
18.47
22.91
39.66
14.78
100

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરિક્ષા પધ્ધતિનો અમલ થતાં શિક્ષણમાં પ્રવ્રુત્તિલક્ષી તેમજ પ્રયોગાત્મક અભિગમ અપનાવી શકાશે.

૯. માહિતીનો વિસ્ફોટ થયો છે તે સંજોગોમાં આ પધ્ધતિ એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
22
95
84
153
52
406
5.42
23.4
20.69
37.68
12.81
100

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે માહિતીનો વિસ્ફોટ થયો છે તે સંજોગોમાં આ પધ્ધતિ એ શ્રેષ્ઠ વિકલ્પ છે.

૧૦. આ એક આદર્શવાદી પરીક્ષા પધ્ધતિ છે પરંતુ એને વ્યવહારમાં મૂકવી ખૂબ કઠીન છે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
28
77
62
170
69
406
6.9%
18.97%
15.27%
41.87%
17%
100%

ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. આ એક આદર્શવાદી પરીક્ષા પધ્ધતિ છે પરંતુ એને વ્યવહારમાં મૂકવી ખૂબ કઠીન છે.- - આ વિધાન એ ઓપન-બુક પરીક્ષાનું ભય સ્થાન દર્શાવે છે.

૧૧. જાહેર પરીક્ષા દરમ્યાન પાઠ્ય-પુસ્તકોની આડમાં બીજુ સાહિત્ય લઇને બેસનાર વિધાર્થીઓની દેખ-રેખ રાખવી કઠીન બનશે.
Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
28
98
40
174
66
406
6.9
24.14
9.85
42.86
16.26
100

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે જાહેર પરીક્ષા દરમ્યાન પાઠ્ય-પુસ્તકોની આડમાં બીજુ સાહિત્ય લઇને બેસનાર વિધાર્થીઓની દેખ-રેખ રાખવી કઠીન બનશે. આ વિધાન એ ઓપન-બુક પરીક્ષાનું ભય સ્થાન દર્શાવે છે.

૧૨. આ પરીક્ષા પધ્ધતિથી ગુજરાતનો વિધાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાછળ પડશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
44
107
47
122
86
406
10.84
26.35
11.58
30.05
21.18
100

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરીક્ષા પધ્ધતિથી ગુજરાતનો વિધાર્થી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાછળ પડશે.


૧૩. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં શિક્ષકો નષ્ક્રિય બનશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
38
133
38
128
69
406
9.36%
32.76%
9.36%
31.53%
17%
100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં શિક્ષકો નષ્ક્રિય બનશે.

૧૪. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં હોશિયાર વિધાર્થી અને નબળા વિર્ધાથી વચ્ચેની તારવણી યોગ્ય રીતે કરી શકાશે નહી.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
36
117
41
147
65
406
8.87%
28.82%
10.1%
36.21%
16.01%
100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં હોશિયાર વિધાર્થી અને નબળા વિર્ધાથી વચ્ચેની તારવણી યોગ્ય રીતે કરી શકાશે નહી.







૧૫. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં વિધાર્થી તેમજ વાલીમાં પરીક્ષાની ગંભીરતા ઓછી થઇ જશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
26
70
41
179
90
406
6.4%
17.24%
10.1%
44.09%
22.17%
100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ
આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં વિધાર્થી તેમજ વાલીમાં પરીક્ષાની ગંભીરતા ઓછી થઇ જશે.

૧૬. આ પધ્ધતિનો અમલ થતાં શિક્ષકમાં પરીક્ષણ તેમજ નિરીક્ષણ કાર્યમાં ઉદાસીનતા આવશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
27
122
35
160
62
406
6.65
30.05
8.62
39.41
15.27
100

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પધ્ધતિનો અમલ થતાં શિક્ષકમાં પરીક્ષણ તેમજ નિરીક્ષણ કાર્યમાં ઉદાસીનતા આવશે.

૧૭. આ પધ્ધતિનો અમલ થતાં વાલી અને વિધાર્થી અભ્યાસ માટે બેદરકાર બનશે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
29
114
49
132
82
406
7.14%
28.08%
12.07%
32.51%
20.2%
100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે પધ્ધતિનો અમલ થતાં વાલી અને વિધાર્થી અભ્યાસ માટે બેદરકાર બનશે.

૧૮. આ પધ્ધતિનો અમલ થતાં બધા જ વિધાર્થીઓ પાસ થશે એ માન્યતા ખોટી છે.

Completely Disagree
Disagree
Neutral
Agree
Completely Agree
Total
13
62
45
204
82
406
3.2%
15.27%
11.08%
50.25%
20.2%
100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પધ્ધતિનો અમલ થતાં બધા જ વિધાર્થીઓ પાસ થશે એ માન્યતા ખોટી છે.

૧૯. આ પધ્ધતિનો અમલ થતાં વિધાર્થીને માનસિક તાણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

Completely Disagree Disagree Neutral Agree Completely Agree Total
5 41 47 217 96 406
1.23%10.1
11.58
53.45
23.65
100

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે આ પધ્ધતિનો અમલ થતાં વિધાર્થીને માનસિક તાણમાં નોંધપાત્ર ઘટાડો થશે.

૨૦. આ પધ્ધતિનો અમલ થતાં ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થશે.

Completely Disagree Disagree Neutral Agree Completely Agree Total
42 112 58 116 78 406
10.34% 27.59% 14.29% 28.57% 19.21% 100%

જે પરથી કહી શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે ઉપરોક્ત અભિપ્રાય નું કાય વર્ગ કસોટી દ્વારા કસોટી પરિક્ષણ કરતા જોવા મળેલ છે કે વિધાનમા મળેલ આવ્રુત્તિ અને અપેક્ષીત આવ્રુત્તિ વચ્ચે મળેલ તફાવત ૦-૦૧ કક્ષાએ સાર્થક છે. જે પરથી કહી
શકાય કે પ્રસ્તુત વિધનના મોટા ભાગ ના પ્રતિચારકો એમ માને છે, કે પધ્ધતિનો અમલ થતાં ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થશે.

૨૧. “પાઠ્યપુસ્તક સાથે” પરીક્ષા પધ્ધતિ સ્વીકાર્ય છે.
૪૦ (11.02%)
“પાઠ્યપુસ્તક સાથે” પરીક્ષા પધ્ધતિ સ્વીકારવા યોગ્ય નથી. ૮૫(23.42%)
પાઠ્યપુસ્તક સાથે” પરીક્ષા પધ્ધતિ તબક્કાવાર આયોજનબધ્ધ રીતે સ્વીકાર્ય છે.
૨૩૮(65.56%)

સમગ્ર અભ્યાસ દરમ્યાન કુલ ૪૦૬ પ્રતિચારકો પૈકી આ સંદર્ભમાં ૩૬૩ પ્રતિચારકોએ સ્પષ્ટ અભિપ્રાય આપવાનું પસંદ કર્યું. જે પૈકી કુલ 65.56% પ્રતિચારકો એમ માને છે કે પાઠયપુસ્તક સાથે પરીક્ષા પધ્ધતિ તબક્કાવાર આયોજનબધ્ધ રીતે સ્વીકાર્ય છે.

તારણ : સમગ્ર અભિપ્રાયોનું આંકડાશાસ્ત્રીય અભ્યાસ કરીએ તો એમ કહી શકાય કે પ્રતિચારકો “પાઠ્યપુસ્તક સાથે” પરીક્ષાની તરફેણ કરે છે. પરંતુ, આ સાથે નીચે દર્શાવેલ ભયસ્થાનો થી સંમત છે.

૧. આ પધ્ધતિ વ્યવહારમાં મૂકવી કઠીન છે.
૨. જાહેર પરીક્ષા દરમ્યાન પાઠ્ય-પુસ્તકોની આડમાં બીજુ સાહિત્ય લઇને બેસનાર વિધાર્થીઓની દેખ-રેખ રાખવી કઠીન બનશે.
૩. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં શિક્ષકો, વાલિઓ અને વિધ્યાર્થીઓ નષ્ક્રિય બનશે.
૪. આ પરીક્ષા પધ્ધતિનો અમલ થતાં હોશિયાર વિધાર્થી અને નબળા વિર્ધાથી વચ્ચેની તારવણી યોગ્ય રીતે કરી શકાશે નહી.
૫. આ પધ્ધતિનો અમલ થતાં ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થશે.

આ ઉપરાંત વિશેષ અભિપ્રાય નોંધમાં મળેલ સૂચનો નીચે મુજબ છે.

૧. આ પધ્ધતિ અમલમાં મુકવા યોગ્ય હોય તો પણ જ્યાં સુધી C.B.S.E કે I.C.S.E. આ પધ્ધતિ ના સ્વીકારે ત્યાં સુધી આ પધ્ધતિનો અમલ ગુજરાતે ન કરવો જોઇએ.
૨. ધોરણ ૧૨ સાયન્સના વિધ્યાર્થીઓને અન્ય રાજ્યમાં એડમિશન સંદર્ભે ગુજરાત મા. અને ઉ.મા. પરીક્ષા બોર્ડ તમામ પાસાઓનો વિચાર થવો જોઈએ.
૩. અમલીકરણ પૂર્વે બોર્ડ દ્વારા આ સંદર્ભે સજ્જતા કેળવવી પડે, એટલે કે,
· સમાજમા ઓપન-બૂક પરીક્ષાની પૂરેપૂરી સમજ આપવી.
· શિક્ષકો ને જરુરી શિક્ષણ અંગેની તેમજ પરીક્ષા અંગેની તાલીમ.
· સંદર્ભ સાહિત્ય
· અમલીકરાણ અંગેની, મુદ્દાસર બ્લ્યુ-પ્રિન્ટ.
· મૂલ્યાંકનના સ્પષ્ટ હેતુઓ.
· પરીક્ષા પધ્ધતિ દરમ્યાન જરૂરી કાળજી.